|| જય ભવાની ||
રાજભવાની સરસ્વતી ધામ.
(સ્પર્ધાત્મક પરીક્ષા માટે)
રાજભવાની સરસ્વતી ધામ.
(સ્પર્ધાત્મક પરીક્ષા માટે)
નવી બેચમાં જોડાવવા માટે
સંપર્ક સૂત્ર:
95861 71790
સ્થળ:
શ્રી સોરઠ કારડીયા રાજપૂત સમાજ કેળવણી મંડળ, ગાંધીનગર.
પ્રવેશ પદ્ધતિ
  • રાજભવાની સરસ્વતીધામ, ગાંધીનગર ખાતે શરૂ થઈ રહેલ વર્ગ-૧/૨ ની જાહેર પરીક્ષાના વર્ગોમાં પ્રવેશ માટે અગાઉ લેવાયેલ પ્રવેશ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને પ્રવેશ આપવાની કાર્યવાહી તારીખ ૧૦/૦૭/૨૦૨૬ ને શુક્રવારના રોજ કરવામાં આવી.
  • પ્રવેશ પ્રક્રિયાના અંતે ખાલી રહેલી જગ્યાઓમાં પ્રવેશ માટે ફરી એકવાર પ્રવેશ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
  • આ પ્રવેશ પરીક્ષા આગામી તારીખ ૧૭/૦૭/૨૦૨૬ ને શુક્રવારે બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ દરમિયાન ગાંધીનગર ખાતે, સેક્ટર-૫D ગાંધીનગર ખાતે લેવાશે.
  • અગાઉ લેવાયેલ પ્રવેશ પરીક્ષા પાસ ન કરી શકનાર ઉમેદવારો અને અગાઉની પ્રવેશ પરીક્ષામાં કોઈ કારણસર ઉપસ્થિત ન રહી શક્યા હોય તેવા ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે.
  • પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષાનું માળખું અગાઉની પ્રવેશ પરીક્ષા જેવું જ રહેશે. રહી ગયેલા ઉમેદવારો માટે આ છેલ્લી તક છે, કારણ કે નિયમિત વર્ગો તારીખ ૧૩/૦૭/૨૦૨૬ થી શરૂ થઈ રહ્યા છે.
બેંચની વિશેષતા
  • UPSC/GPSC દ્વારા લેવામાં આવતી વર્ગ 1/2 ની પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી.
  • અદ્યતન પુસ્તકાલયની સુવિધા, સંપૂર્ણ અભ્યાસક્રમ (પ્રિલીમ + મુખ્ય પરીક્ષા) નું સંપૂર્ણ અદ્યતન સાહિત્ય, કોચિંગની સુવિધા વિના મૂલ્ય ઉપલબ્દ કરાવામાં આવશે.
  • ગુજરાતના ખ્યાતનામ ફેકલ્ટિઇસ દ્વારા નિયમિત શિક્ષણ. કુલ 600 થી વધુ કલાકનું શિક્ષણ કાર્ય.
  • 10–12 મહિનાની બેચ. બેચ પુરી થયા બાદ સતત પરીક્ષાલક્ષી ફોલ્લૉઉપ વર્ક.
  • પરીક્ષાની નિયમિત પ્રેકટીસ માટે પ્રેકટીસ પેપર્સ અને મોક ટેસ્ટ.
  • ડીજીટલ ક્લાસરૂમ. લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે.
  • બહેનો માટે એક જ કેમ્પસમાં કલાસરૂમ, લાયબ્રેરી, રહેવા-જમવાની વ્યવસ્થા.
  • બેહનો માટે રહેવા જમવાની વ્યવસ્થા નહિ નફો નહિ નુકશાનના ધોરણે રહેશે.
  • આર્થિક અગવડ ના કારણે કોઈ દીકરી આ સુવિધાથી વંચિત ના રહે તે માટે સમાજના દાતાશ્રીઓ દ્વારા ગુપ્ત સહાય પુરી પાડવામાં આવશે.
સમાજના સ્નાતક થયેલા તમામ ભાઈઓ-બહેનો સુધી આ જાહેરાત પોહોચાડી, પરીક્ષા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી.
Message show
તમારું રજીસ્ટ્રેશન સફળ થયું છે. તમને કન્ફર્મેશન ઈમેલ પણ મોકલવામાં આવ્યો છે.